Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રમતજગતને રાજકીય રંગનો પ્રયાસ આઘાતજનક : મૌલીનભાઇ

ખેલરત્ન એવોર્ડનું નામ બદલવા સામે આક્રોશ

રાજકોટ, તા. ૬ : રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાના નીર્ણયને વખોડી કાઢતા પ્રદેશ કોંગ્રેસ સંકલન સમિતિના અગ્રણી મૌલિન વૈષ્ણવે જણાવ્યું કે આ નીર્ણય તદ્ન ગેરવ્યાજબી છે જેમા રાજકીય કૌન્નાખોરી દેખાઈ આવે છે. રાજીવ ગાંધી એ પક્ષ ના નેતા જ નહી પરંતુ ભારતીય ઓદ્યૌગીક ક્રાંતિના ભિષ્મપિતામહ છે. ધ્યાનચંદ એ રાષ્ટ્રનું પ્રતિભાશાળી વ્યકિતત્વ છે.

રમત ગમત ક્ષેત્રે તેમના નામનો બીજો કોઈ પણ એવોર્ડ જાહેર કરી શકાય. રમતજગતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ આઘાતજનક છે. 

(3:58 pm IST)