Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ‘ૐ નમ શિવાય' ધ્‍યાન

શ્રાવણ માસના બીજા સોમવારે

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે નિયમિત છેલ્લા ૩૭ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.૮ને સોમવારના રોજ શ્રાવણ માસના બીજા સોમવારે રોજ હર સાલની માફક ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬: ૩૦ થી ૮  દરમ્‍યાન ૐ નમો શિવાય ધ્‍યાન- શિવ સૂત્ર પરનું ઓશોનું પ્રવચન તથા સંધ્‍યા ધ્‍યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉપરોકત ૐ નમો શિવાય ધ્‍યાનમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી- પ્રેમીઓને ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર તરફથી અનુરોધ કરેલ છે.

સ્‍થળ- ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી, ડી માર્ટ પાછળ રાજકોટ. વિશેષ માહિતી સ્‍વામિ સત્‍ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:22 pm IST)