Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પાટીદાર સમાજના વિકાસમાં પોપટભાઈની દુરંદેશી સાથે નેતૃત્વનો સિંહ ફાળો રહ્યો છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ શોકસંદેશો પાઠવ્યોઃ પોપટભાઈ પટેલને આગેવાનો- ઉદ્યોગપતિઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આજીવન સેવાવ્રતી અને દૂરંદેશી સમાજ શ્રેષ્ઠી પોપટભાઈ નરશીભાઈ કણસાગરાનો દેહવિલય થતા રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કણસાગરા પરિવારના ચંદ્રકાન્ત પોપટભાઈ કણસાગરા સાથે ટેલીફોનીક વાતચીત કરી દુઃખની આ ઘડીએ સમગ્ર પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું હતું  કે, પાટીદાર સમાજના વિકાસમાં મુરબ્બી પોપટભાઈની દૂરંદેશી સાથેના નેતૃત્વનો  સિંહફાળો રહયો છે. તેમની વિદાયની ખોટ સમાજને હંમેશ રહેશે. મુખ્યમંત્રી શ્રી તરફથી પરિવારને એક લિખિત શોક સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો.

કણસાગરા પરિવાર તરફથી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા બેસણામાં પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ તથા સમાજની અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી. પરિવારની દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા. જાહેર જીવનના અનેક મોભીઓએ પણ હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.

કર્ણાટકના માજી ગર્વનર વજુભાઈ વાળા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડી.એમ. ગોળ, ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસઝાળીયા, ઉમિયાધામ ગાઠીલાના  પ્રમુખ વાલજીભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, ગ્રેટર ચેમ્બરના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપેનભાઈ મોદી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, હરીભાઈ પટેલ, બાવનજીભાઈ મેતલીયા, મોહનભાઈ વાછાણી (જામજોધપુર), શીવલાલ વેકરીયા, જીવનભાઈ પટેલ, રાજેશભાઈ ભાલોડીયા, જયંતીભાઈ ફળદુ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, માધુભાઈ બાબરીયા, બેચરભાઈ વોથી (મોરબી), વલ્લભજીભાઈ અમૃતિયા, ત્રંબકભાઈ, રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ), શંભુભાઈ પરસાણા (પરસાણા ફાઉન્ડ્રી) સહીતના ઉપસ્થિત  રહ્યા હતા.

આ તકે ફિલ્ડમાર્શલ પોપટભાઈ પરિવારના ચંદ્રકાન્તભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, પ્રદિપભાઈ કોરડીયા સહિત પરિવારની સાથે જીલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા સહિતનાએ સાંતવના પાઠવેલ હતી.

(3:54 pm IST)