Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા.ની દસ દિવસીય આત્મસાધના

અનુષ્ઠાન પૂર્ણઃ ભવ્ય સામૈયુ-મહામાંગલિક

રાજકોટ,તા.૬ : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજય શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં પ્રથમ સુશિષ્ય મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં પરમ અંતેવાસી સુશિષ્ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ ગુરુવર્યોની પરમ કૃપાથી મનમાં વિશ્વનાં મંગલ અને કલ્યાણની ભાવના અને હ્રદય મંદિરમાં જીવમાત્ર પ્રત્યે પ્રેમ વાત્સલ્ય ભાવનાનાં દિવ્ય સંકલ્પ સાથે દસ દિવસની તપ- જપ- ધ્યાન- મૌન યુકત દિવ્ય આત્મ સાધના અનુષ્ઠાન નિર્વિઘ્ને સંપન્ન કરી પ્રથમ દર્શન આપેલ. તેમની તેજોમય ઊર્જાયુકત પ્રસન્ન મુખમુદ્રાનાં દર્શન કરવા, અને મહામાંગલિક ફરમાવેલ.

તે પરમ પવિત્ર સાધના પૂંજ દ્વારા પ્રથમ મહામાંગલિક શ્રવણ કરી સ્વયંમાં દિવ્યતા તથા ગુરુકૃપા ભાવિકોએ પ્રાપ્ત કરી આ સાધનાની અલૌકિક ઊર્જાનો અનુભવ અને દર્શન વંદનનો કાર્યક્રમ દિવ્ય સાધનાલય કાલાવડ શીતલામાં દિવ્ય ફાઉન્ડેશન અને શ્રી વણિક જૈન સંઘ કાલાવડ દ્વારા તા.૬ ને ગુરુવારે સવારે ૭ કલાકે દિવ્ય સાધનાલય, યતિવર્ય પૂજય શ્રી ગાંગજીવીર ઋષિની ડેરી , કાલાવડ શીતલામાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ બાદ નવકારશી રાખવામાં આવેલ.

આ પ્રસંગે કાલાવડ જૈન વણિક સમાજ ના પી.સી. મહેતા તથા જમનભાઈ પટેલ, ભીમસિંહ જાડેજા તથા દિવ્ય ફાઉન્ડેશન ના અશોકભાઈ કોઠારી , શૈલેષભાઈ માઉ , જેતપુર સંઘ, ધ્રોલ સ્થાનકવાસી - દેરાવાસી જૈન સંઘ , ધોરાજી, ગોંડલ, રણુંજા, નિકાવા, પીપરના શ્રાવક શ્રવિકા તથા રાજકોટથી પારસભાઈ ખારા, નીતિનભાઈઙ્ગ મહેતા, શુભાષભાઈ રવાણી, બીપીનભાઈ, જગુભાઈ , અજયભાઇ ભીમાણી, દિવ્યેશભાઈ, સંજયભાઇ મહેતા વગેરે જોડાયેલ.

(3:46 pm IST)