Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અરવિંદભાઇ મણીયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા શનિવારે સૂર સંગમ સાથે સન્‍માન સમારોહ

રાજકોટ તા. ૬ : રાજકોટના સ્‍વપ્‍નદ્રષ્‍ટા અરવિંદભાઇ મણીઆરના જન્‍મદિન નિમિતે અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ઉપક્રમે પ્રતિ વર્ષ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.તે અંતર્ગત તા.૮ના શનિવારે હેમુ ગઢવી હોલમાં રાત્રે ૯ કલાકે ઓસમાણ મીરના ‘સૂર સરગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અરવિંદભાઇના સાથી કાર્યકરોનું સન્‍માન છેલ્લા દોઢ દાયકાથી કરવામાં આવે છે આ વર્ષે પણ જમનાદાસભાઇ સોમૈયા (મરણોત્તર) ઉપરાંત ધનસુખભાઇ વોરા, સિધ્‍ધરાજસિંહ ઝાલા,રશ્વીનભાઇ ડોડીયા, દિલીપભાઇ દોશી અને અશોકભાઇ પંડયાનું શાલ અને અને મોમેન્‍ટો આપીને અભિવાદન કરવામાં આવશે.

આ પ્રસંગે ઇફકોના નવા નિયુકત ચેરમેન દિલીપભાઇ સંઘાણીનું અને તાજેતરમાં રાષ્‍ટ્રપતિ ચન્‍દ્રક મેળવનાર રાજકોટના પોલીસ કમિશ્નર રાજુભાઇ ભાર્ગવનું ટ્રસ્‍ટ તરફથી શાલ અને સ્‍મૃતિ ચિન્‍હ રૂપી મોમેન્‍ટો આપી વિશેષ સન્‍માન કરવામાં આવશે.

કાર્યક્રમને રાજકોટ નાગરીક સહકારી બેંક અને પેલીકન રોટોફલેક્ષ પ્રા.લી.નો સહહૃદય સહયોગ મળેલ છે. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા રહેશે. મુખ્‍ય મહેમાન તરીકે પ્રદેશ અધ્‍યક્ષ ગુજરાત ભાજપ સી.આર.પાટીલ અને અતિથી વિશેષ તરીકે કલેકટર શ્રી અરૂણ મહેશભાઇ બાબુ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમના પ્રોજેકટ ઇન્‍ચાર્જ નીલેશભાઇ શાહ અને કમલેશભાઇ મહેતા અને કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી વલ્લભભાઇ કથીરીયા, ઉપરાંત ટ્રસ્‍ટીઓ શ્રીમતી હંસીકાબેન મણીઆર, જયોતીન્‍દ્ર મહેતા, શિવુભાઇ દવે, મહાસુખભાઇ શાહ ઉપરાંત કલ્‍પકભાઇ મણીઆર, જયંતભાઇ ધોળકિયા, લક્ષ્મણભાઇ મકવાણા, પ્રભાતભાઇ ડાંગર, ઇન્‍દ્રવદનભાઇ રાજયગુરૂ, રાજુલભાઇ દવે, ભુપેન્‍દ્રભાઇ શાહ, ગુણવંતભાઇ ભટ્ટ, જયંતીભાઇ પટેલ, રમેશભાઇ પરમાર, જહાનવીબેન લાખાણી, હસુભાઇ ગણાત, ભરતભાઇ અનડકટ, હરીશભાઇ શાહ, અશોકભાઇ રાવલ, સંજયભાઇ ઓઝા, મનીષભાઇ શેઠ, ધર્મેશભાઇ મકવાણા, ધનુમામા અને સંજયભાઇ મોદી જહેમત ઉઠાવી રહ્યા છે

(3:58 pm IST)