Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની સામે કણકોટના પાટીયા પાસે એસટી બસે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

પોલીસે મૃતક યવાનના વાલીવારસન શોધખોળ હાથ ધરી

રાજકોટ: નવા વર્ષના દિવસે પણ અનેક પરિવારોમાં માતમ છવાય તેવી ઘટનાઓ બની છે. નવા વર્ષે ગુજરાતભરમાં થયેલા અકસ્માતોને પગલે કેટલાક પરિવારોમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકોટમાં નવા વર્ષ પર એસટી બસની નીચે કચડાઈ જતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર-રાજકોટ-જામજોધપુર રૂટની GJ-18-Z-5894 નંબરની એસટી બસે નવા વર્ષના દિવસે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની સામે કણકોટના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે બસની અડફેટે એક બાઈક ચાલક આવ્યો હતો. GJ-03-EH-5269 નંબરની બાઈક પર પસાર થતો યુવક ટક્કરને કારણે બસના તોતિંગ પૈડા નીચે આવી ગયો હતો. જ્યાં સ્થળ પર તેનુ અરેરાટીભર્યુ મોત નિપજ્યુ હતું.

ઘટનાને પગલે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. સાથે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો પણ દ્રશ્ય જોઈ અવાક થઈ ગયા હતા. અકસ્માતના બનાવથી આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસે મૃતક યવાનના વાલીવારસન શોધખોળ હાથ ધરી હતી.   

(10:55 am IST)