Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

સિવિલ હોસ્પિટલ માનસિક રોગના વિભાગ પાસેથી બેભાન મળેલા અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના માનસિક રોગના વિભાગ પાસેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને તોરલબેન જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:49 am IST)