Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

લીલી સાજડીયાળી ગામે ૧૧મીએ ૧ દિ'ની ઓશો ધ્યાન સાધના શિબિર

રામજીભાઈ વેકરીયા દીક્ષા અંગીકાર કરશે : સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી શિબિરનું સંચાલન કરશે

રાજકોટ : આગામી તા. ૧૧ના રોજ રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે શ્રી રામજીભાઈ વેકરીયાના ફાર્મ ઉપર એક દિવસીય એક ઓશો ધ્યાન સાધના શિબિરનું આયોજન રામજીભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવેલ છે. તેઓ ઓશોની દીક્ષા અંગીકાર કરવાના છે. ઉપરાંત જે કોઈને ઓશોની દીક્ષા લેવી હોય તેઓને માળા તથા સર્ટીફીકેટ ફ્રીમાં આપવામાં આવશે. આ શિબિરનું સંચાલન સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે. આહયા કરશે.)

આ શિબિર સવારે ૯ વાગ્યે શરૂ થઈ સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે. આ શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન તેમજ સાધકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

આ શિબિર વિનામૂલ્યે છે. વધુ વિગત માટે સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા) મો.૯૪૨૮૨ ૦૨૨૫૫ અથવા રામજીભાઈ વેકરીયા મો.૯૦૯૯૦ ૨૮૨૮૫નો સંપર્ક કરવા રામજીભાઈ વેકરીયા તરફથી આમંત્રણ અપાયુ છે.

(3:17 pm IST)