Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મણીયાર દેરાસરની શુક્રવારે ૭૯મી વર્ષગાંઠઃ ધ્‍વજારોહણ-અઢાર અભિષેક

પૂ. પં. પ્ર. શ્રી સત્‍વબોધીજી તથા સાધ્‍વીવૃંદની નિશ્રામાં

રાજકોટ તા. ૬ :.. શહેરના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (મણીયાર દેરાસર) ની તા. ૮ ને શુક્રવારે ૭૯મી વર્ષગાંઠ પૂ. પંન્‍યાસ પ્રવરશ્રી સત્‍વબોધી વિજયજી ગણીવર્ય તથા પૂ. સાધ્‍વીજીશ્રી વિપુલયશાશ્રીજી મ.સા. આ. ઠા. પ ની પાવન નિશ્રામાં ભવ્‍ય રીતે ઉજવાશે.

આ પ્રસંગે સવારે ૭.૩૦ કલાકે સત્તરભેદી પૂજા, ધ્‍વજારોહણ યોજાશે. જયારે સવારે ૮.૩૦ કલાકે અઢાર અભિષેક યોજાશે. જેમાં વિધીકાર નિરજભાઇ શાહ પધારશે તથા સંગીતકાર પ્રતાપભાઇ શાહ સુરો રેલાવશે. ઉપરાંત સવારે ૯ વાગ્‍યે પધારેલ મહેમાનો માટે સાધર્મિક ભકિત યોજાશે.

ધ્‍વજારોહણ-અઢાર અભિષેકના પાવન પ્રસંગે માંડવી ચોક દેરાસરની ર૦ર૩ ની ૧૯૭મી વર્ષગાંઠ નિમિતે ધ્‍વજાજીના આદેશો અપાશે. તથા શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુની પરિકર સાથે પ્રતીમાજીની ભરાવાની ઉછામણી પણ યોજાશે. તેમ રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇની યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)