Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મહેંદી લગાકે રખના, ડોલી સજા કે રખના, લેને તુજે ઓ ગોરી આયેંગે તેરે સજના

રાજકોટ : લેઉવા પાટીદાર કોટડિયા પરિવારના આંગણે કુળદેવી શ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી રૂડા લગ્નોત્‍સવના ઢોલ વાગ્‍યા છે, શ્રીમતી હંસાબેન તથા શ્રી હસમુખભાઇ ઠાકરશીભાઇ કોટડિયાના સૂપૂત્ર ચિ. નિરવના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી કંચનબેન તથા શ્રી મહેશભાઇ ભગવાનજીભાઇ કમાણીની સૂપૂત્રી ચિ. ધ્રુતિ સાથે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ શુક્રવારે નિર્ધારેલ છે.

મંડપ મુહૂર્ત તા. ૯ ગુરૂવારે બપોરે ૩ વાગ્‍યે કલ્‍યાણમ્‌ પાર્ટી પ્‍લોટ, સિનર્જી હોસ્‍પિટલ સામે, અયોધ્‍યા ચોક ૧૫૦ રીંગ રોડ ખાતે રાખેલ છે. ભોજન સમારંભ તે જ દિવસે સાંજે ૭ વાગ્‍યે તે જ સ્‍થળે યોજાયેલ છે. શુભલગ્ન બીજા દિવસે તા. ૧૦મીએ સાંજે પાનેતર પાર્ટી પ્‍લોટ, ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, મુંજકા ચોકડી, ધ સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

શુભ નિવાસ સ્‍થાન : હસમુખભાઇ કોટડિયા, શ્રી સતગુરૂ કૃપા, ૪-અલ્‍કા પાર્ક, આશ્રમ રોડ પાસે, કુવાડવા રોડ, રાજકોટ.  મો. ૯૮૨૪૦ ૪૫૧૫૨

(10:47 am IST)