Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ભગવતીપરાના ૧૭ વર્ષના સાહિલ કાતીયારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૭: ભગવતીપરામાં સુખસાગર હોલવાળી શેરીના છેડે રહેતો સાહિલ યુસુફભાઇ કાતીયાર (ઉ.વ.૧૭) વહેલી સવારે ચારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સાહિલને વર્ષોથી બિમારી હતી.  તે બે ભાઇમાં નાનો હતો અને પિતા છુટક ડ્રાઇવીંગ કરે છે.

(5:13 pm IST)