Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અકિલા એક એવું અખબાર છે જે કયારેય લોભ કે લાલચને વશ થતું નથીઃ શાષાી માધવપ્રિયદાસજી સ્‍વામી

અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વિણાબેનના સ્‍વર્ગવાસ નિમિત્તે એસજીવીપી ગુરૂકુલમાં પ્રાર્થનાસભા -ધૂન

અમદાવાદઃ રાજકોટના સુપ્રસિદ્ધ સાંધ્‍ય દૈનિક અકિલાના મોભી શ્રી કિરીટભાઇ  ગણાત્રાના નાના ભાઇ અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વિણાબેન ગણાત્રાના સ્‍વર્ગવાસ નિમિત્તે શાષાી માધવપ્રિયદાસજી સ્‍વામી અને પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી,  એસજીવીપી ધર્મજીવન હોસ્‍ટલના વિદ્યાર્થીઓ,મેમનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓ, દર્શન સંસ્‍કૃત મહાવિદ્યાલયના  વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં હરિભકતોની ઉપસ્‍થિતિમાં એસજીવીપીના વિશાળપ્રાર્થના ખંડમાં રામ, શ્‍યામ અને ઘનશ્‍યામ મહારાજની સાનિધ્‍યમાં રવિવારે સાંજે પ કલાકે પ્રાર્થના અને ધૂન રાખવામાં આવેલ.

 આ તકે  વિણાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા માધવપ્રિયદાસજી સ્‍વામીએ જણાવેલ કે પરિવાર માટે સ્‍વજનના વિયોગનું દુઃખ અસહ્ય હોય છે.છતાં આપણે જાણીએ છીએ કે ભગવાનની  ઇચ્‍છા વિના સુકું પાંદડું પણ હલી શકતું નથી માટે  અસહ્ય દુઃખના પ્રસંગે ભગવાનની મરજી સ્‍વીકારવી પડશે.

અકિલા એવુ સુપ્રસિદ્ધ  દૈનિક પત્ર છે કે સમાજમાં એવી કહેવત પડી ગઇ છે કે સવારે ચા અને સાંજે અકિલા.

કિરીટભાઈના પુત્ર નિમિષભાઇએ અકિલાનું સુકાન સારી રીતે સંભાળેલ છે.ખરેખર અકિલા રાષ્ટ્ર અને સંસ્‍કૃતિને વરેલ  સાંધ્‍ય અખબાર છે.અકિલા એક  એવું અખબાર છે જે તે ક્‍યારેય લોભ કે લાલચને વશ થતું નથી.આવા અકિલાના મોભી એવા કિરીટભાઇના નાના ભાઇ અને  અકિલાના તંત્રી શ્રી અજીતભાઇના ધર્મપત્‍ની વિણાબેનના સ્‍વર્ગવાસ નિમિત્તે    એસજીવીપી સ્‍વામિનારાયણ ગુરૂકુલમાં ધૂન ભજન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં  આવી હતી.                     તેમ કનુભગતે જણાવ્‍યું હતું

(3:33 pm IST)