Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સંતો- મહંતોના હસ્‍તે શિવરથયાત્રાના કાર્યાલયનો પ્રારંભ

રાજકોટઃ આગામી તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રીનો પાવન પર્વ હોવાથી દરવર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી દશનામ ગોસ્‍વામી સમાજ રાજકોટ દ્વારા સનાતન હિન્‍દુ ધર્મ શિવ રથયાત્રાનો ભગીરથ ધાર્મિક કાર્યનો આરંભ કરી દેવાયો છે. જેના ભાગરૂપે શિવ રથયાત્રાનું કાર્યાલય ઉદ્દઘાટન સંતો મહંતો તેમજ જ્ઞાતિ આગેવાનો, હિન્‍દુ સમાજના આગેવાનોના વરદહસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે રમેશગીરી જગદીશગીરી, પ્રફુલગીરી

ત્રિભુવનગીરી, હસુગીરીબાપુ (ભાગવાગ્રુપ), અશ્વિનગીરી હીરાગીરી, પ્રમોદગીરી મોહનગીરી, મુકેશગીરી દલપતગીરી, વિનોદભારથી સજીવનભારથી, વિજયભારથી ભીખુ ભારથી, એસ.એસ. ગોસાઈ, ભીખુપુરી (ખીરસરા), ઘનશ્‍યામપુરી નવલપુરી, ધીરૂપુરી (જંગલેશ્વર મહાદેવ), મહેન્‍દ્રભારથી લક્ષ્મણભારથી હસમુખગીરી નટવરગીરી, ગીરીશપુરી નટવરપુરી, પ્રશાંતપુરી દલપતપુરી, જગદીશપુરી (ગિરનારી), ભરતગીરી, પ્રકાશગીરી, કિશોરગીરી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા આ શિવ રથયાત્રાને સફળ બનાવવા માટે ગૌતમગીરી ચમનગીરી, ધર્મેન્‍દ્રગીરી ચતુરગીરી, અજયવન રમેશવન, ભાવેશગીરી નટવરગીરી, વિજયગીરી અમૃતગીરી, જનકપુરી રમણીકપુરી, સુરેશગીર શંતિગીરી, મૌલિકગીરી અશ્વિનગીરી, કૈલાશગીરી હંસગિરી, આશિષપુરી મગનપુરી, હાર્દિકપુરી મુકેશપુરી, ભાવિકપુરી, જીગ્નેશગીરી જેન્‍તીગીરી, સતીષપુરી બળવંતગીરી, વિશાલભારથી, ગૌરવભારથી વિજયભારથી, વિરલપુરી ધરમપુરી, ધવલપુરી કૈલાસપુરી, અંકિતપુરી શૈલેશપુરી, જૈનીશ ભારથી, પ્રણવવન, અજયભારથી, ઉમંગગીરી રોહિતગીરી, મિલનભારથી, યશવંતગીરી, અમીતગીરી રાજેશગીરી, જીગ્નેશભાઈ સીતાપરા, મિલનભાઈ બોરીસાગર, યોગેશભાઈ સિંગાળા, હાર્દિકભાઈ જાવીયા વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 pm IST)