Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

યુસુફઅલી જોહરકાર્ડસવાળાએ વેકસીનનો બીજો ડોઝ લીધોઃ મુખ્યમંત્રીનો આભાર માન્યો

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ રાજકોટના ૨૦૦ વરિષ્ઠ નાગરીકોને કોવિડ-૧૯ માટેની વેકસીન માટે પ્રેરણા આપી હતી. જેમાં યુસુફઅલી જોહરકાર્ડસ વ્યકિતગત ચિંતા કરી હતી તેઓનો પ્રથમ ૨૦૦ લોકોમાં સમાવેશ કરી વેકસીન લેવા જણાવ્યુ હતુ. યુસુફઅલીએ વેકસીનના બંને ડોઝ લઇ લીધા છે. તેઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો હૃદયપૂર્વક આભાર માનેલ હતો. આ  કોરોના મહામારીમાં દરેક ૪૫ વર્ષ મોટી ઉંમરના નાગરીકો જલ્દીથી વેકસીન કોઇપણ જાતનો ડર રાખ્યા વગર વ્હેલીતકે લઇ લેવા વિનંતી કરી છે.

(3:31 pm IST)