Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કોઠારીયા રોડ મારુતિનગરમાં રાકેશ અધ્યારુની તેના ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી : હત્યાની શંકા

યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે : પત્ની અને પુત્રની પૂછપરછ શરૂ : અજાણ્યા ત્રણ શખ્શોએ ઘરમાં ઘુસી યુવાનને સળગાવ્યાની ચર્ચા

રાજકોટ : શહેરના કોઠારીયા રોડ મારુતિનગરમાં રાકેશ અધ્યારુની તેના ઘરમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, આ યુવાનની હત્યાની શંકા  વ્યક્ત થઇ રહી છે

  યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે પોલીસે યુવાનની પત્ની અને પુત્રની પૂછપરછ શરૂ  છે, બીજી તરફ કોઈ અજાણ્યા ત્રણ શખ્શોએ ઘરમાં ઘુસી યુવાનને સળગાવ્યાની ચર્ચા  જાગી છે

 

   
 
   
(4:38 pm IST)