Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આજે બપોરથી શનિ પુષ્‍ય યોગઃ ગરીબોને દાન અને શનિદેવના મંત્ર જાપનો મહિમા

પૂજા-પાઠ અને ખરીદદારી કરવાથી સમૃધ્‍ધિમાં વધારો થતો હોવાનો શાષાોમાં ઉલ્લેખ

રાજકોટ તા.૭ : આજે બપોરના ૧ર.૧૭ વાગ્‍યાથી શનિ પુષ્‍ય અને કાલે રવિ પુષ્‍ય એમ બે દિવસ પુષ્‍ય નક્ષત્રનો સંયોગ રચાયો છે.
આજે શનિવારે બપોરે ૧૨-૧૭ મિનિટથી રચાશે શનિ પુષ્‍ય નક્ષત્ર યોગ ગુરુ પુષ્‍ય અને રવિ પુષ્‍યની જેમ શનિ પુષ્‍ય નક્ષત્ર સિદ્ધિ યોગનો પણ અનોખો મહિમા છે જયોતિષ શાષા મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્‍વામી છે અને સાથે પુષ્‍ય નક્ષત્રના પણ સ્‍વામી છે તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્‍યા હોય કે જે રાશિમાં શનિની પનોતી બેઠી હોય કે શનિને કારણે લગ્ન વિલંબ, નોકરી ધંધામાં રૂકાવટ નુકશાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ કચેરી શારિરીક માનસિક પીડા થતી હોય તેણે શાષાના મત પ્રમાણે જયોતીષ વિદ્વાનો દ્વારા આવા શનિ પુષ્‍ય નક્ષત્ર જેવા અનોખા સિદ્ધિ યોગના દિવસો શોધી ઊપાયો કરાવાય છે.
તેજ રીતે આજેᅠ નિવારણની કામનાથી આ મુજબના ઉપાય કરાય તો આ શનિ પુષ્‍ય નક્ષત્ર સિદ્ધિ યોગ ના બળે સહષા ઘણું મળે છે શનિ મહારાજની ક્રુપા પ્રાપ્ત થાય છે અને કોઈપણ પ્રકારની સમસ્‍યાનું નિવારણ થાય છે. મહા ઉપાય શનિ બીજ મંત્ર જાપ કરો. શનિ દોષ નિવારણ માટે સંકલ્‍પ કરી એક ત્રણ કે સાત માળા સંકલ્‍પ કરી કરોᅠ કે ૨૩૦૦૦ શનિ મંત્ર જાપ કરો : પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈヘરાય નમઃᅠ શનિવારે હનુમાનજી શનિદેવના દર્શન કરવા જવુંતેલ સિંદૂર અર્પણ કરો
ગરીબોને યથા શક્‍તિ દાન કરવું દ્યરડા અને વૃદ્ધ લોકોનું સન્‍માન કરો મદદ કરો આશીર્વાદ લો ગરીબ, કામદાર અથવા નોકરો અને અપંગને હંમેશા ખુશ રાખો. શનિવારે અને શનિ ગ્રહના આ નક્ષત્રો પુષ્‍ય, અનુરાધા, ઉત્તરા ભાદ્રપદમાં ઉપાય કરવાનો મહીમા છે તે પૈકી આજે શનિ પુષ્‍ય નક્ષત્ર યોગ છેᅠ
શનિને લગતી વસ્‍તુઓનું દાનમાં સાંજે કે રાત્રે કરવું જોઈએ દાન કરનારી ચીજો- અડદ, લોખંડ, લોખંડના વાસણો, તેલ, કાળાᅠ સફેદ તલ,, કાળો કાબળો કાળું કાપડ કે પોતાના જૂના વષાોનું દાન ગરીબ જરૂરિયાતમંદ લોકોને કરવું જોઇએ.

 

(11:53 am IST)