Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કડોદરા અને બારડોલીમાં સી.આર.પાટીલજીના કાર્યક્રમોમાં મિરાણી-રાઠોડ-ઠાકુરનું પ્રતિનિધિત્‍વ

 

રાજકોટ,તા.૭ : પ્રદેશ ભાજપની યોજનાનુસાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી વન ડે વન ડીસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લા/મહાનગરમાં જુદી-જુદી સ્‍તરની બેઠકો લેવા માટે પ્રવાસ કરી રહ્યા છે. ત્‍યારે આજે સુરત જિલ્લામાં કડોદરા ખાતે સવારે અને ત્‍યારબાદ બારડોલી ખાતે બપોરે વન ડે-વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ હાથ ધર્યો હતો.

જેમાં ગુજરાતભરના જિલ્લા-મહાનગરોના પાર્ટીના પ્રમુખ-મહામંત્રીઓ આ બંને સ્‍થાનો પર ઉપસ્‍થિત રહેલ. જેમાં  રાજકોટ મહાનગરમાંથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહીતના આગેવાનો સુરત જિલ્લા ખાતે વન ડે - વન ડીસ્‍ટ્રીકટ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો.

(3:23 pm IST)