Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સનશાઇન ફીઝીયોથેરાપી ક્‍લિનીકમાં મધર્સ ડે નિમિતે વિનામુલ્‍યે નિદાન કેમ્‍પ

 

રાજકોટ તા. ૭ : મૂળ જેતપુરના ડો. દીશા રૂપારેલીયા ભાટે દ્વારા રાજકોટ ખાતે સત્‍ય સાંઇ હાર્ટ હોસ્‍પિટલની સામે, બીગ બજાર પાસે બનાવાયેલ સુવિધાઓથી સજજ અદ્યતન ‘સનશાઇન ફીઝીયોથેરાપી ક્‍લિનિક' ખાતે મધર્સ ડે નિમિતે તા. ૮ ના રવિવારે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૭ સુધિ વિનામુલ્‍યે નિદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે ડો. દીશા રૂપારેલીયા (લોહાણા) એ ફીઝીયોથેરાપીમાં બેચલર (બીપીટી) અને માસ્‍ટર્સ (એમપીટી) પ્રથમ રેન્‍ક સાથે પાસ કરી પીએચડી સ્‍કોલર સુધીની કારકીર્દી બનાવી છે. નેશનલ અને ઇન્‍ટરનેશનલ જર્નલમાં રીસર્ચ વર્ક પબ્‍લીશ કરેલ છે. તેમના બહોળા અનુભવનો લાભ આ કેમ્‍પમાં મળશે.

(4:39 pm IST)