Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ખાદ્યતેલની અન્‍ય દેશો પરની નિર્ભરતા ઘટાડવા ઘર આંગણે મગફળી-રાઇડો વધુ પેદા થાય તે માટે ખેડૂતોને પ્રોત્‍સાહન આપો

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને વડાપ્રધાનને લખ્‍યો પત્રઃ આયાત પરના નિયંત્રણો પુનઃ લાગુ કરો

 

રાજકોટ તા. ૭ : ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે વડાપ્રધાન મોદીને એક પત્ર લખી જણાવ્‍યું છે કે આપણા ઘર આંગણના તેલિબિયા ઉત્‍પન કરતા ખેડૂતો અને ખાદ્યતેલ ઉત્‍પન કરતા ઉદ્યોગોના સંરક્ષણ માટે ફરીથી ઇમ્‍પાોર્ટ નિયંત્રણો લાદવાની જરૂર છે એટલુ જ નહિ ખેડૂતોને મગફળી અને રાઇડો વધુને વધુ ઉગાડે તે માટે પ્રોત્‍સાહિત કરવા જોઇએ કે જેથી ખાદ્યતેલની આયાતનો પ્રશ્ન જ  ન રહે.

પત્રમાં તેમણે વધુમાં જણાવ્‍યું છે કે, હાલમાં અનેક કારણોને લીધે આંતર રાષ્‍ટ્રિય બજારમાં ખાદ્યતેલના ભાવો ઘણાં ઉંચા રહ્યા છે. જેને કારણે આપણા દેશમાં પણ બધા ખાદ્યતેલના ભાવો ઉંચા રહ્યા છે કારણ કે આપણે આપણી ખાદ્યતેલની જરૂરીયાત સંતોષવા અન્‍ય દેશો પર મોટા પાયે નિર્ભર છીએ. ખાદ્યતેલના વધતા ભાવાંથી ચિંતિત થઇ કેન્‍દ્ર સરકારે ઘણા પગલા લીધા છે. જેવા કે ૪ થી પ વખત આયાત ડયુટી ઘટાડવી, રીફાઇન્‍ડ પામોલીન તેલ કે જે અત્‍યાર સુધી નિયંત્રિત આયાતી કોમોડીટીની કેટેગરીમાં હતું તેને ફ્રી કેટેગરીમાં લીધુ ખાદ્યતેલ તેલિબિયાના વેપાર પર સ્‍ટોક નિયંત્રણો નાખ્‍યા વગેરે પરંતુ કેન્‍દ્ર સરકારના  આ એકપણ પ્રયાસ સફળ થયા નહીં અને આંતરરાષ્‍ટ્રીય બજાર ઉંચા જવાના કારણે આપણે ત્‍યાં પણ ખાદ્યતેલોના ભાવ ઉંચા રહ્યાં.

જેમ આપણે આપણી ખાદ્યતેલની જરૂરીયાત સંતોષવા અમુક દેશો પર નિર્ભર છીએ તેમ તે દેશો પણ પોતાની પાસે રહેલ વધારાના ખાદ્યતેલના જથ્‍થાની નિકાસ કરી, પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવા ભારતીય માર્કેટ પર નિર્ભર છે. તેથી આવા અછતના સમયમાં તેમની સામે તદન ઝૂકી જવા કરતા થોડું કડક અને મકકમ વલણ દાખવ્‍યુ હોત તો તેઓ પણ મહદ અંશે આપણી શરતો મુજબ સહમત થયા હોત.

છેલ્લા પાંચેક દિવસથી મલેશિયાની પામોલીન બજાર અને શિકાગોની સાંયાબીન તેલ બજારમાં મોટો ઘટાડો આવ્‍યો છે ત્‍યારે હવે આપણે ત્‍યાં પણ વિવિધ ખાદ્યતેલના ભાવો ઘટયા છે. તદ્‌્‌ઉપરાંત ચાલુ માસના અંત સુધી આપણા બંદરો પર મોટા પાયે સોયાબીન તેલ આવવાનું છે. આ ઉપરાંત ઇન્‍ડોનેશીયા પામોલીન તેલની નિકાસ પર મુકેલા નિયંત્રણો હળવા કરવાની અથવા તો સંપૂર્ણ પણે ઉઠાવી લેવાની તૈયારીમાં છે ને મલેશિયામાં પામોલીન ઉત્‍પાદનમાં આગામી માસમાં વધારો થવાનો છે તે સમયે આપણો દેશ આયાતી ખાદ્યતેલોના ડમ્‍પીંગ માટેનું મોકળું મેદાન ન બની જાય તે જોવું જરૂરી છે. અત્‍યાર સુધી જયારે જયારે આપણે આયાત ડયુટી ઘટાડી ત્‍યારે વિદેશી માર્કેટ વધી અને આપણે ત્‍યાં ખાદ્યતેલોના ભાવો ઘટયા નહીં.  તેવી જ રીતે હવે જો આપણે આયાત ડયુટી વધારીશું તો આપણી માર્કેટના સ્‍તર અનુસાર  વિદેશી માર્કેટોએ ઘટવું પડશે જેથી અહીંના ભાવમાં વધારો નહી થાય. ટૂંકમાં આપણે જયારે આયાત ડયુટી ઘટાડી ત્‍યારે ભાવ ઘટયા નહીં તેવી જ રીતે હવે જો આયાત ડયુટી ઘટાડી શું તો પણ ભાવ વધરો નહીં.

છેલ્લા ત્રણેક માસથી રશિયા-યુક્રેન યુધ્‍ધને કારણે સૂર્યમુખીની આયાત બંધ જેવી જ છે. તેમજ છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્‍ડોનેશિયા પામોલીન તેલની નિકાસ પર કોઇને કાંઇ પ્રકારના નિયંત્રણો મુકતુ આવ્‍યું છે. ને એપ્રિલ અંતથી તો તેમણે એટલ  નિકાસ પર  અંત મુકયો છે.

આપણે ત્‍યાંના કહેવાતા એનાલીસ્‍ટો અને તજજ્ઞો આપણા દેશમાં ખાદ્યતેલની ભયંકર ખાદ્ય સર્જાશે અને તેના ભાવોમાં અસહય વધારો થશે તેવી આગાહી કરતા હતાં. પણ તેવું કંઇ જ થયુ નથી. આજના દિવસે તમામ પ્રકારના ખાદ્યતેલો આપણે ત્‍યાં મળી રહે છે. તેમજ અન્‍ય દેશોની તુલનાએ આપણા દેશમાં ઓછો ભાવ વધારો થયો છે. આનું કારણ આપણે ત્‍યાં મગફળીઓ રાઇડો જેવા તેલિબિયાનું સારૂ ઉત્‍પાદન છે આ બંને તેલિબિયામાંથી ઉત્‍પન્‍ન થતા તેલોએ આયત ખાદ્ય પુરી કરી છે તે પરથી સાબિત થાય છે કે આપણે અત્‍યાર સુધીમાં આપણી ખાદ્ય કરતા વધુ આયાત કરતા હતા.

અત્‍યારે આપણા બંદરો પર સોયાબીન તેલનો  મોટો જથ્‍થો આવકમાં છે. આપણા ખેડુતો પાસે સોયાબીન તથા રાઇડો સારા પ્રમાણમાં પડેલ છે દેશના ઘણા રાજયોમાં ઉનાળુ મગફળીનો પાક વાવવાની તૈયારીમાં છે ને જરૂર પડયે ઇન્‍ડોનેશિઆ, મલેશિયાથી પામોલીન તેલનો જથ્‍થો ત્‍વરાત મળી શકે તેમ છે. વળી સમસયર અને સારા ચોમાસાની આગાહીને કારણે લોકોના સેન્‍ટીમેન્‍ટ બદલાયા છે ત્‍યારે આગામી દિવસોમાં ખાદ્યતેલને અછત સર્જાવાને ભાવ વધારો થવાના સંજોગો જણાતા નથી માટે આંદોલનની આયાત પરના તમામ નિયંત્રણો ક્રમશ લાગુ કરી દેવા જોઇએ.

આપણા સ્‍થાનિક તેલિબીયા જેવા કે મગફળી અને રાઇડો બંનેમાં તેલની ટકાવારી ઘણી ઉંચી છે તેમજ તેમાંથી બનતુ ખાદ્યતેલ રીફાઇન્‍ડ કર્યા વગર ઉપયોગમાં લઇ શકાય છે. અને તે ઉંચી ગુણવતા વાળુ છે. માટે આ તેલિબીયાના વાવેતરને જેમ વધુ પ્રોત્‍સાહીત કરીશું તેમ આપણી ખાદ્યતેલની અન્‍ય દેશો પરની નિર્ભરતા ઓછી થતી રહેશે.

તો આપ અમારાઓ સુચનો પર યોગ્‍ય વિચાર કરી તુરંત અમલમાં મુકશો તો તેના સકારાત્‍મક પરિણામ બહુ જ ટૂંકા ગાળામાં દેખાશે.

(3:28 pm IST)