Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મનિષભાઇ છત્રાળાને ભાવાંજલી અર્પવા સોમવારે શ્રીનાથજી ભકિત સંધ્‍યા - રકતદાન કેમ્‍પ

શાકાહાર, અંગદાન જાગૃતિની પ્રેરણા, ચકલીના કુંડા, માળા વિતરણ

રાજકોટઃ જિદંગીના રંગમંચ ઉપર ખૂબ જ ખંત મહોનતથી  ભૂમિકા ભજવી ચૂકેલા  પરિવાર અને સમાજમાં  ખૂબ જ નાની  વયમાં  મોટુ઼ કાર્ય કરી  ગંભીર બીમારીનાં કારણે દે-વિલય પામેલા મનીષભાઇ  છત્રાળાના અંતનાᅠએક વર્ષ પૂર્ણતાના આરે ભાવથી અંજલિ  આપવા છત્રાળા પરિવાર તરફથી આગામી   તા. ૯ના સોમવારે બપોરે  ૩ વાગ્‍યાથી  શ્રીનાથજી ભકિત સંધ્‍યા, રકતદાન કેમ્‍પ, શાકાહાર, અંગદાન જાગૃતિ કાર્યક્રમંનું આયોજન થયેલ છે. આ પ્રસંગે  કૃષ્‍ણ પ્રાર્થનાનું આયોજન છે.  નિધીબેન  ધોળકિયા અને  મયુરભાઇ બુદ્ધદેવ તેમની ટીમ સાથે  કૃષ્‍ણ પ્રાર્થના કરશે. આ સાથે પ્રવર્તમાન ગરમીના સમયમાં સીવીલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ  દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડીત બાળકો માટે નિઃશુલ્‍ક લોહી મળી રહે તે માટે રકતદાન કેમ્‍પનું પણ આયોજન છે.  રકતદાન , શાકાહાર પ્રચાર પ્રસાર અભિયાનનો  પણ લાભ લેવા અપીલ કરાઇ છે. જમનભાઇ મોહનભાઇછાત્રાળા, અનિલાબેન મોહનભાઇ છાત્રાળા, શૈલેષભાઇ જમનભાઇ છાત્રાળા તરફથી નિમંત્રણ અપાયું છે.
આ કાર્યક્રમમાં શુભેચ્‍છક શુભમ ગેર, ઓર્ગન ડોનેશન ટીમ- રાજકોટ મિતલ ખેતાણી, શૈલેષભાઇ ઠુમ્‍મર, ડો.વિજયભાઇ દેસાણી, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ , રમેશભાઇ ઠક્કર,વિજયભાઇ ડોબરીયા(સદ્‌ભાવના વૃ્‌દ્ધાશ્રમ), મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, હર્ષિતભાઇ કાવર  વિગેરે ઉપસ્‍થિત રહેશે.આ કાર્યક્રમ તા. ૯ સોમવારે  બપોરે ૩ વાગ્‍યે  હેમુ ગઢવી હોલ , વિરાણી  સ્‍કુલની બાજુમાં , ટાગોર રોડ, ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમૉ ચકલીના કુંડાં, માળાનું વિતરણ તેમજ ગૌપુજન પણ રાખવામાં આવ્‍યું છે.  આ અંગે  વધુ માહિતી માટે  અનિલાબેન છત્રાળા (મો.૯૪૨૬૯ ૬૪૬૬૫)  નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

 

(4:30 pm IST)