Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

લક્ષ્મીવાડી હવેલીમાં રવિવારે વ્રજેશકુમારશ્રીનો જન્‍મદિન ઉજવાશે

મનોરથ ઉત્‍સવ રાત્રે હેમુ ગઢવી હોલમાં નાટક

રાજકોટ તા.૭: સપ્તમ પીઠાધીશ્વર પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજેશકુમાર મહારાજશ્રીનો (કામવન-રાજકોટ) જન્‍મદિવસ તા.૧૦ના રવિવારે હોય હર્ષ-ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવશે. લક્ષ્મીવાડી શ્રી મદનમોહનજીની હવેલીને સુંદર રીતે સજાવટ કરવામાં આવશે.

વૈષ્‍ણવો તથા શિષ્‍યોમાં ઉમંગ છવાયો છે. રાત્રીના કાર્યક્રમમાં રાત્રે ૧૦ થી ૧ માં હેમુગઢવી હોલમાં ઠાકોરજીના અષ્‍ટ સખા ‘છીતસ્‍વામીના' જીવન ચરિત્ર ઉપર નાટક અને મહાપ્રભુજીના સેવક ૮૪  વૈષ્‍ણવમાના એક એવં ‘ગોરજા સમરાઇ' જે સાસુ-વહુનું નાટક પણ રાખવામાં આવ્‍યુ છે.

દિવસ દરમ્‍યાન પલના, રાજભોગ, માર્કન્‍ડેય પૂજા સહીતના કાર્યક્રમો થશે.

જન્‍મદિવસની ઉજવણી માટે વ્રજધામ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઇ દાવડા, મંત્રીશ્રી હિતેશભાઇ રાજપરા, જીતેશભાઇ રાણપરા, ખજાનચી સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા, હિરેનભાઇ સુચક જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:16 pm IST)