Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મનહરપુરમાં ખાટલાના ધંધાર્થી અજીતે પત્‍નિ સાથે ઝઘડો થતાં એસિડ પી લીધું

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર મનહરપુરમાં અનાજના ગોડાઉન સામે રહેતાં અને ખાટલા બનાવીને વેંચવાનું કામ કરતાં અજીત મનસુખભાઇ રાઠોડ (ઉ.૩૦) નામના દેવીપૂજક યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

અજીતને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેના બા ગીતાબેને કહ્યું હતું કે અજીત અને તેની પત્‍નિ રીના વચ્‍ચે સાંજે કોઇ બાબતે ઝઘડો થતાં માઠુ લાગી જતાં અજીત એસિડ પી ગયો હતો.

રૈયાધારમાં રામીને પતિ રમેશે લાકડીથી ફટકારી

રૈયાધાર દશામાના મંદિર પાસે રહેતી રામી રમેશ સાડમીયા (દેવીપૂજક) (ઉ.૩૫)નેરાતે પતિ રમેશે જમવા બાબતે ઝઘડો કરી લાકડીથી ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:24 pm IST)