Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મંગળવારે પૂ. શ્‍યામસુંદરદાસજી બાપુની તિથિઃ બુધવારે ગુરૂપૂર્ણીમા ઉત્‍સવ ઉજવાશે

શ્રી હઠિલા હનુમાનજી મંદિરે ગુરૂગાદી પૂજન, રાજભોગ, આરતી દર્શન, બટુક ભોજન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ શહેરના (કુવાડવા રોડ ઉપર રણછોડદાસબાપુના આશ્રમ સામે આવેલ હઠિલા હનુમાનજી મંદિરે આગામી તા. ૧૨-મંગળવારે શ્રી શ્‍યામસુંદરદાસ બાપુની ૨૧ મી પુણ્‍યતિથિ નિમીતે સાંજે ૭:૩૦ બટુકભોજન રાખેલ છે.

તાઃ૧૩ બુધવારે ગુરૂપુર્ણિમાં ઉત્‍સવ ઉજવવામાં આવશે. આ શુભ દિવસે સવારે ૭:૩૦ વાગે ગુરૂગાદી પૂજન બપોરે ૧૨ કલાકે રાજભોગ, આરતી દર્શન સાંજે ૭:૩૦ બટુકભોજન રાખેલ છે. ગુરુપુર્ણિમાંના દિવસે સવારે-૭ થી સાંજે ૭ સુધી બુંદી ગાઠિયાનો પ્રસાદ અપાશે. ભાવિકોએ દર્શન પૂજનનો લાભ લેવા હરિદાસબાપુ મો.નં. ૯૮૭૯૧૭૦૫૧૯ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:39 pm IST)