Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

હંસરાજનગર રોડ પર વોંકળામાં તણાઇ જતાં અજાણ્યા પુરૂષનું મોત

મૃતકના સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૬: જંકશન પ્લોટ હંસરાજનગર મેઇન રોડ પર ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વોંકળામાં પરમ દિવસે અજાણ્યો પુરૂષ આશરે ૪૫ થી ૪૮ વર્ષનો વરસાદના પાણી સાથે તણાઇને આવતાં ૧૦૮ના ઇએમટી મયુરભાઇ ચોૈહાણે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્ર.નગર પોલીસને કન્ટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ જે. એ. ખાચરે જાણ કરતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા માયાબેન સાટોડીયાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક શરીરે પાતળા બાંધાના અને વાને ઘઉવર્ણા છે. કલરીંગ ચેકસવાળો શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલા છે. સફેદ દાઢી મુછ છે. માથે ટાલ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:15 pm IST)