Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રણછોડદાસજીબાપુ આશ્રમે સોમવારથી એક સપ્તાહ દર્શન બંધ રહેશે

તહેવારોમાં ભીડભાડ ન સર્જાય તે માટે

રાજકોટ તા. ૭: કોરોના વાઇરસનાં કારણે તહેવારોમાં વધારે સંક્રમણ ના ફેલાય એ માટે પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં દર્શન તા. ૧૦ સોમવારથી તા. ૧૬ રવિવાર સુધી બંધ રહેશે.

સોમવારથી રાબેતા મુજબ દર્શનનો લાભ સવારે ૭ થી ૧૦-૩૦ સુધી તથા સાંજે ૪ થી ૬-૩૦ સુધી લાભ લઇ શકશે. જેની સમસ્ત ગુરૂભાઇ-બહેનોને તથા ધર્મપ્રેમીભાઇ-બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:48 pm IST)