Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

એમએ-એમકોમ એક્ષટર્નલ સેમ-રની ર૭ ઓગષ્ટથી પરીક્ષાનો શુભારંભ

કોરોનાની સ્થિતિમાં નજીકનું કેન્દ્ર રાખવાની મંજુરી

રાજકોટ તા. ૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી.ની સેમેસ્ટર-ર ની તમામ પરીક્ષાઓનો કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણી માર્ગદર્શન હેઠળ તા.ર૭/૮/ર૦ર૦ થી પ્રારંભ થવા જઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ. અને એમ.કોમ.ના એક્ષટર્નલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-ર ના વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે પરીક્ષા આપવા માટે પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે આ પ્રકારનો અતિ મહત્વનો વિદ્યાર્થી લક્ષી નિર્ણય કુલપતિ પેથાણી તથા ઉપકુલપતિ  શ્રી દેશાણી દ્વારા કરવામાં આવેલ છે

એમ.એ. અને એમ.કોમ.ના એક્ષટર્નલના વિદ્યાર્થીઓ પોતાના લોગઇન આઇ.ડી.માંથી તા.૮/૮/ર૦ર૦ થી તા.૧૩/૮/ર૦ર૦ સુધીમાં પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે.

(3:52 pm IST)