Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા મંદિર નિર્માણની ખુશાલી

રાજકોટ : ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કરકમલો દ્વારા કરવામાં આવતા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીને અભિનંદન આપે છે. જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે સખીયા, મહામંત્રી સર્વ ભાનુભાઇ મેતા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ઉપસ્થિતીમાં રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી તથા પ્રજાનોને મો મીઠા કરાવીને હર્ષની લાગણી વ્યકત કરી હતી.  આ ઐતિહાસિક ક્ષણને વધાવવા બાબુભાઇ નસીત, મોહનભાઇ દાફડા, દિનેશભાઇ વિરડા, રાજુભાઇ બોરીચા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂત સહીતના શુભેચ્છકો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા.

(3:53 pm IST)