Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મંજૂરી વગરની ચિરાયુ હોસ્પિટલ બંધ કરાવાઈ : ૯ દર્દીઓ શિફટ કરાયા

રાજકોટ : અહિંના સામાકાંઠા વિસ્તારમાં મ્યુ.કોર્પોરેશનની મંજૂરી વગર ચાલુ કરાયેલ ચિરાયુ કોવિડ કેર હોસ્પિટલને નાયબ આરોગ્ય અધિકારી ડો.ચુનારાએ બંધ કરાવી : સારવારમાં રહેલા ૯ દર્દીઓને આજ હોસ્પિટલના અન્ય મંજૂર થયેલ કોવિડ કેર સેન્ટરમાં શીફટ કરી સારવાર શરૃ કરાયેલ : સામાકાંઠા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ શરૃ કરવા માટે હજુ મંજૂરી મંગાઈ હતી, પરંતુ મંજૂરી મળે તે પહેલા જ હોસ્પિટલ શરૃ કરી દેવાયાનું ડો.ચુનારાએ જણાવ્યુ હતું

(4:16 pm IST)