Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કુંભારવાડામાં માનસીક બીમારીથી કંટાળી ઉર્મીલાબેનનો આપઘાત

મહિલાએ ગળાફાંસો ખાઇ લીધોઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૭ :.. જુની જેલ પાછળ કુંભારવાડામાં માનસીક બીમારીથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કુંભારવાડા શેરી નં. ૧૪ માં રહેતા ઉર્મીલાબેન ભરતભાઇ ભલસોડ (ઉ.વ.૪૦) એ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો  ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતા એ. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ વિરસોડીયાએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઉર્મીલાબેનને સંતાનમાં બે પુત્ર છે. તેના પતિ મજૂરી કરે છે. તેણે માનસીક બીમારીથી કંટાળી  આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે. 

(3:37 pm IST)