Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દેવનગરમાં માનસીક બીમારીથી કંટાળી અલ્‍પેશભાઇનો આપઘાતનો પ્રયાસ

પતિને લટકતી હાલતમાં જોઇ પત્‍નીએ નીચે ઉતારી સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૭ : નાનામવા રોડ પર દેવનગરમાં રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ દેવનગર શેરી નં.૩માં રહેતા અલ્‍પેશભાઇ જીવણભાઇ વાઘેલા (ઉ.૩૩) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો પત્‍ની બહારથી ઘરે આવ્‍યા ત્‍યારે પતિને લટકતી હાતલમાં જોઇ તાકીદે તેને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. વનીતાબેન બોરીચાએ સિવિલ હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં યુવાને માનસીક બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:38 pm IST)