Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજપૂત યુથ ફાઉન્ડેશન દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ

રાજકોટ : દશેરાના પાવન પર્વ પર સોરઠીયા રજપૂત ભાઇઓ-બહેનો દ્વારા કાર્યરત રાજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ ભાર્ગવ પઢીયારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. શસ્ત્રપૂજન કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તથા ટ્રસ્ટના સભ્યછ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ડોડીયા, મંત્રી વિરલ રાઠોડ, ખજાનચી ગૌરવ ચૌહાણ, સહમંત્રી વિજયસિંહ ચૌહાણ, પ્રવિણભાઇ ભટ્ટી, સભ્ય વિપુલભાઇ ચૌહાણ, મીલનભાઇ પરમાર, રણજીતભાઇ પઢીયાર તેમજ યશોધર પઢીયાર, માનવ પઢીયાર, મહેશભાઇ ચૌહાણ, દિનેશભાઇ ભટ્ટી, હેનીલ પરમાર, કલાપી વાળા દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(4:08 pm IST)