Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વેદિહી એન્‍ટરટેઈનમેન્‍ટ દ્વારા ૧૩મી જાન્‍યુઆરીના યોજાનાર

નાટક ‘અકૂપાર' હાલ પૂરતું મોકુફ

ટિકિટ લીધી હોય તેઓને તમામના રૂપિયા પરત મળશેઃ કોરોનાની સ્‍થિતિ થાળે પડતાં નવી તારીખ જાહેર કરવામાં આવશ

: અકૂપારનો શો અને વેદિહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના અન્‍ય નાટકો વિષે માહિતી જોઈતી હોય તો મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ વ્‍હોટસએપમાં હાય  લખી ને મોકલી આપો
રાજકોટઃ કોરોનાની સ્‍થિતિ અને સરકારશ્રીની ગાઇડલાઇનના અનુક્રમે વેદિહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત અકૂપાર નાટકનો શો કે જે ૧૩મી જાન્‍યુઆરી , રાત્રે ૯:૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ  ખાતે થનાર હતો તે  હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે.
નોંધનીય છે કે વેદિહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત દરેક નાટકને રાજકોટ તો શું સૌરાષ્‍ટ્રવાસીઓ એ પણ દિલ થી આવકાર આપ્‍યો છે. આ વખતે અકૂપાર માટે ગીર, સાસણ,અમરેલી, ભાવનગર, જામનગર, જસદણ, મોરબી, ધોરાજી, જૂનાગઢ વગેરે ગામોમાંથી ટિકિટો બૂક  થઇ હતી તો કેટકેટલાંયે વિદ્યાર્થીઓએ, બેંક સ્‍ટાફ, વિવિધ કલબ વગેરે એ બલ્‍ક  બુકિંગ કરાવ્‍યું હતું. શો મોકૂફ રાખતાં  ઘણા બધાં  લોકોના મેસેજનો વરસાદઃ  વરસ્‍યો શો કેન્‍સલ ના કરવા માટે. પરંતુ હાલની પરિસ્‍થિતિ જોતાં  આ જ નિર્ણય સહુ માટે લાભકર્તા હતો. પરંતુ ટૂંક સમયમાં જ સ્‍થિતિ થાળે પડતા અકૂપાર નો શો વેદિહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ રાજકોટમાં જ કરશે. જો આપને  અકૂપારનો શો અને વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના અન્‍ય નાટકો વિષે માહિતી જોઈતી હોય તો કળપા કરી ૯૦૨૩૨૮૨૪૦૭ નંબર સેવ કરી, આ નંબર પર વ્‍હોટસઍપ માં હાય  લખીને મોકલી આપો. આપણે સમયસર વિદેહીના કાર્યક્રમોની માહિતી મળતી રહેશે.
જે લોકોએ વેદિહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પાસે આ નાટકની ટિકિટ બૂક  કરાવી હોય તો તેમને ટિકિટના પુરેપુરા રૂપિયા આગામી એક સપ્‍તાહમાં પાછા મળશે.
 જો આપે બુકમાયશો એપ માંથી બુકિંગ કરાવ્‍યું હોય તો પણ આપને  ટિકિટનું રિફંડ મળશે.
 પ્રેક્ષકોના પ્રેમ અને સાથ સહકાર ઉપરાંત અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર, કાઠિયાવાડી સ્‍વાદબંધુ, સાગર પોલિટેકનીક લિમિટેડ, સજીવન ઓર્ગેનિક અને માઇક્રો ફાઈન ઘરઘંટી, પરીન ફર્નિચર,પરીન ટાટા મોટર્સ નો પણ સહકાર સાંપડ્‍યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(2:01 pm IST)