Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વિનાયકનગરમાં બીમારીથી કંટાળી રોહીત જેઠવાનો ફાંસો ખાઇ આપઘાત

પરિવારજનો મજૂરી કામે ગયા બાદ યુવાને પગલુ ભરી લીધુ

રાજકોટ, તા.૮: મવડી રોડ વીનાયક સોસાયટી શેરી નં.૯માં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ વિનાયક સોસાયટી શેરી નં.૯માં રહેતા રોહીત ભીખાભાઇ જેઠવા (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો મજૂરી કામેથી ઘરે આવ્‍યા ત્‍યારે યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ.ગીતાબેન પંડયા તથા રાઇટર મનુભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રોહીત અપરણીત હતો તે એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેણે બીમારીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્‍યુ છે.
છાતીમાં દુઃખાવો ઉપડતા અમદાવાદના વૃધ્‍ધનું મોત
અમદાવાદમાં રહેતા પ્રવિણભાઇ નાનજીભાઇ ટુંડીયા (ઉ.વ.૬૧) ગઇકાલે લક્ષ્મીનગરમાં રહેતા સગાને ત્‍યાં પ્રજાપતિની વાડીમાં બેસણામાં આવ્‍યા હતા. ત્‍યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે મથકના એ.એસ.આઇ.ગીતાબેન પંડયાએ કાર્યવાહી કરી હતી.

 

(3:34 pm IST)