Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ચૂંટણી સમયે શકિત પ્રદર્શનમાં ખોટું શું છે?: નરેશભાઈ પટેલ

દરેક સમાજને શકિત પ્રદર્શનનો અધિકાર છેઃ પાટીદાર સમાજને શકિત પ્રદર્શનની જરૂર નથીઃ નરેશભાઈ

રાજકોટ, તા. ૮: ખોડલધામના મહોત્સવ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખોડલધામના મોભી નરેશભાઈ પટેલને રાજકીય પ્ર‘ો પૂછાતા તેમણે કહ્યું હતું કે આ મંચ પરથી રાજકીય વાતો શોભે નહિં. જવાબમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી સમયે સમાજ દ્વારા શકિત પ્રદર્શન યોજાય તેમાં ખોટું શું છે? દરેક સમાજને શકિત પ્રદર્શનનો અધિકાર છે. જો કે પાટીદાર સમાજને શકિત પ્રદર્શનની જરૂર નથી.
ખોડલધામના પાટોત્સવમાં વડાપ્રધાનને આમંત્રણ અપાયુ હતું? આ પ્ર‘ના જવાબમાં નરેશભાઈએ જણાવ્યુ હતું કે કોઈ વીઆઈપીને હજુ સુધી આમંત્રિત કરાયા ન હતા. આગામી કાર્યક્રમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થશે. મહાસભા અંગે નવી તારીખ હવે પછી જાહેર થશે. હાલ કોવિડ ગાઈડલાઈનને અનુરૂપ ઓનલાઈન કાર્યક્રમ થશે.

 

(3:44 pm IST)