Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગુણાતીતનગરમાં હેમંતભાઈ ઉપાધ્યાયના મકાનમાં આગ

આગ શોટ સર્કિટના કારણે લાગીઃ લાકડાના ટેબલ, પસ્તી, ઈલેકટ્રીક રેડીયો તેમજ મંદિરના ટ્રસ્ટના ચોપડા બળી ગયા

રાજકોેટ, તા. ૮ :. ગોંડલ રોડ પર ગુણાતીતનગરમાં રહેતા હેમંતભાઈ ગૌતમલાલભાઈ ઉપાધ્યાયના મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજ પાછળ આવેલા ગુણાતીતનગર શેરી નં. ૪માં રહેતા હેમંતભાઈ ઉપાધ્યાયના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ હેમંતભાઈએ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી ૨૦ મીનીટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ ઉપરના માળે લાગી હતી. જેમાં લાકડાના ટેબલ, પસ્તી, ઈલેકટ્રીક રેડીયો તેમજ મંદિરના ટ્રસ્ટના ચોપડા બળી ગયા હતા. આગ વાયરીંગમાં શોટ થતા તણખો પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે. આગમાં નુકસાનીનો આંક જાણવા તપાસ થઈ રહી છે.

(4:40 pm IST)