Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પડધરીમાં ભુલથી વનસ્‍પતીના બી ખાઇ જતાં માતા-પુત્ર અને પુત્રીને ઝેરી અસર

રાજકોટ તા. ૮: પડધરીના ગીતાનગરમાં રહેતાં માતા-પુત્ર-પુત્રીએ કોઇ વનસ્‍પતીના બી ભુલથી ખાઇ લેતાં ઝેરી અસર થતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ગીતાનગરમાં રહેતાં ઉમાબેન અશ્વિનભાઇ રાઠોડ (ઉ.૩૦) તથા તેના પુત્ર નિખીલ (ઉ.૫) અને પુત્રી વિધાંશી (ઉ.૩)એ સાંજે પડધરીના આંબેડકરનગરમાં હતાં ત્‍યારે કોઇ વનસ્‍પતીના બી ખાઇ લેતાં ત્રણેયને ઉલ્‍ટીઓ થવા માંડતાં પડધરી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

(12:00 pm IST)