Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અકિલા પરિવારના દુઃખમાં સહભાગી બનતા જયેશ રાદડીયા

રાજકોટઃ ‘અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનનું દુઃખદ નિધન થતા પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી જયેશ રાદડીયા અકિલા પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા અને સ્‍વ.વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પી હતી. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રીકિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે ધારાસભ્‍ય શ્રી જયેશ રાદડીયા અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશ બોઘરા નજરે પડે છે.

(3:04 pm IST)