Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જામનગર રોડ રપ વારીયા કવાર્ટર પાસે પ્લોટમાં અજાણ્યા આધેડની લાશ મળી

બીમારીના કારણે આધેડનું મૃત્યુ થયાની શંકાઃ વાલીવારસની શોધ

તસ્વીરમાં રપ વારીયા પ્લોટમાંથી મળેલો અજાણ્યા આધેડનો મૃતદેહ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી પાસે રપ વારીયા કવાર્ટરના ખુલ્લા પ્લોટમાં અજાણ્યા આધેડની લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ નાગેશ્વર સોસાયટી પાસે રપ વારીયા કવાર્ટરમાં ખુલ્લા પ્લોટમાં એક આશરે પ૦વર્ષના અજાણ્યા પુરૂષ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ પોલીસ કંટ્રોલમાં કોઇ રાહદારીએ જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ.મેરામભાઇ હુંબલ અને રાઇટર મહેશભાઇ કછોટે સ્થળ પર પહોંચી ગયા હતા અને ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા પ૦વર્ષના અજાણ્યા આધેડનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કયુંર્ હતુ઼ મૃતક અજાણ્યા આધેડે દુધીયા સફેદ જેવો શર્ટ અને ક્રિમ કલરનો બરમુડો પહેરેલ છે અને તેનું બિમારી સબબ મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. જો કોઇ આ આધેડના સગાસંબંધી હોઇ તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નં.૦ર૮૧-રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:23 pm IST)