Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રવિરત્નપાર્ક નાગરિક મંડળ દ્વારા રાશનકીટ વિતરણ

રવિરત્નપાર્ક નાગરિક મંડળ દ્વારા ૨૫૧ નિરાધાર પરિવારોને રાશનકીટ વિતરણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે  વિમલ લાઇટરવાળા બાબુભાઇ પટેલ, છગનભાઇ સાવલીયા, ધીરૂભાઇ ભોરણીયા, મનસુખભાઇ ધોળકીયા, સામાજીક કાર્યકર મનુભાઇ વાછાણી, જીતુભાઇ બરોચીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ સંસ્થાના દાતા સ્વ. મનીષાબેન અશોકભાઇ વૈશ્નાણી, યુવા સામાજીક કાર્યકર અમિતભાઇ ભાણવડીયાના પિતાશ્રી સ્વ. રમેશભાઇ ભાણવડીયા તથા દાતા સ્વ. કે. વી. લુકકાના અવસાન બદલ બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર.સી.પટેલ, સી.એન. જાવિયા, ધીરૂભાઇ ઝાલાવડીયા, મણીભાઇ ઘોડાસરા, વી. ડી. ઠકકર, જગદીશભાઇ પટેલ, નરોતમભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા, જમનભાઇ સાપરીયા, હરેશભાઇ મારડીયા, ભાવેશ ભટ્ટ, જી. બી. મલ્લી, મગનભાઇ વાછાણી, જેન્તીભાઇ ઢોલરીયા, ધીરૂભાઇ ફળદુ, જાદવભાઇ કનેરીયા, લલિતભાઇ સરડવા, રમણિકભાઇ કણસાગરા, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, જેન્તીભાઇ ચપલા, આર. કે. ઝાલાવાડીયા, મહેશ બાવરવા, મુકેશભાઇ અમૃતિયા, મનસુખભાઇ ફળદુ, બીપીનભાઇ પુજારીએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)