Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

રવિવારે થેલેસેમીયા જનજાગૃતિ અને રકતદાન કેમ્‍પઃ માં ચેરીટેબલ ટ્રસ્‍ટનું આયોજન

એકત્ર થયેલ રકત રાજકોટ સિવિલ હોસ્‍પિટલને અર્પણ કરાશેમક

રાજકોટઃ આગામી તા.૧૧ના રવિવારના રોજ થેલેસેમીયા જનજાગૃતિ તથા મહારકતદાન કેમ્‍પનું આયોજનમાં ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ છે.

હાલ રાજકોટ સીવીલ બ્‍લડ બેંકમાં રકતની અછત હોય એવા થેલેસેમીયાના દર્દીઓ અને કિડનીના દર્દીઓને બ્‍લડ મળી રહે એવા આશયથી હેમ કલીનીક, સત્‍યમ્‌ પાર્ક, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ સીવીલ હોસ્‍પિટલના દર્દીઓના લાભાર્થે આયોજીત આ કેમ્‍પમાં રકતદાતાઓને રકતદાન કરવા અપીલ કરાઈ છે.

કેમ્‍પ તા.૧૧ રવિવાર, થેલેસેમીયા જનજાગૃતિ બપોરે ૩ થી ૪ તથા રકતદાનનો સમય સાંજે ૪ થી ૮ કલાક સુધી વધુ વિગતો માટે સંસ્‍થાના મો.૯૬૨૪૧ ૯૧૩૨૯. તસ્‍વીરમાં હસમુખભાઈ રાણપરા, સુમીતભાઈ આડેસરા અને સંદિપભાઈ પારેખ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(6:03 pm IST)