Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વોર્ડ નં. ૯ માં 'સંપર્ક સે સમર્થન' અભિયાન

ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ અને કમલેશ મિરાણીના નેતૃત્વ હેઠળ :સરકારની સિધ્ધીઓ વર્ણવી યોજનાકીય લાભો અંગે લોકોને માહીતગાર કરાયા

રાજકોટ :દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થતા તા. ૩૦ જુન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ અંતર્ગત વોર્ડ નં. ૯ ખાતે ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા 'સંપર્ક સે સમર્થન' અભિયાન હાથ ધરાયુ હતુ. જેમાં વ્િવિીધ સામાજીક અગ્રણીઓ અને તેના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. ભાજપ સરકારની સિધ્ધીઓ વર્ણવી હતી. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નવ વર્ષની સિધ્ધીઓ વર્ણવતી બુકલેટ અર્પણ કરાઇ હતી. આ તકે નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, વિક્રમ પૂજારા, પ્રદીપ નિર્મળ, હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કમલેશ મિરાણીનું નાની બાળાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરાયુ હતુ.

(5:19 pm IST)