Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

તક્ષશીલા એપાર્ટમેન્ટમાં રહેતાં સમીરભાઇ કણસાગરાનું મોત

બિમાર હાલતમાં સિવિલમાં ખસેડાયા બાદ દમ તોડ્યો

રાજકોટ તા. ૮: પારસી અગિયારી ચોકમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતાં સમીરભાઇ કિર્તીભાઇ કણસાગરા (પટેલ) (ઉ.વ.૫૫) બિમાર હોઇ ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાવરાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિવૃત જીવન જીવતાં હતાં અને અપરિણિત હતાં.

(4:18 pm IST)