Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રવિવારે સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા શ્રાવણી પર્વઃ ગુરૂવારે સમુહમાં જનોઇ બદલાવાશે

રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજનઃ જ્ઞાતિજનોને ગોરણી પ્રસાદ અને જ્ઞાતિ મહાપ્રસાદમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ

રાજકોટ તા. ૮ :.. શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ, સ્‍વ. દિનકરરાય મયારામ જોષી સ્‍મૃતિ ટ્રસ્‍ટ (મેડીકલ) તથા શ્રાવણી પર્વ ઉત્‍સવ સમિતિ અને યુવા સંગઠન તથા મહિલા પરિષદ - રાજકોટ દ્વારા તા. ૧૪ ને રવિવારે ‘બાજ નારણજી ભવન, હરિ કિર્તી હોલ, કાલાવડ રોડ, ઇસ્‍કોન મંદિર પાસે રાજકોટ ખાતે ર૮ માં શ્રાવણી પર્વની ઉજવણીનુ આયોજન કરવામાં આવ્‍યું છે.

જે અંતર્ગત તા. ૧૧ ને ગુરૂવારે સવારે ૭ વાગ્‍યે ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ ખાતે સમુહમાં જનોઇ (યજ્ઞોપવિત) બદલવાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ફરાળ તથા પૂજાપાના દાતા જનકરાય એમ. મહેતા છે. જે અંતર્ગત ભગવતી રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે આયોજન ગૃહલક્ષ્મી ઉષાબેન જનકરાય મહેતા તેમજ વિ. જનકરાય એમ. મહેતા પરિવાર દ્વારા કરાયું છે.

તા. ૧૪ ને રવિવારે શ્રાવણી પર્વનો સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી પ્રારંભ થશે જેમાં જ્ઞાતિ સમુહ ભોજન તથા ગોરણી પ્રસાદનું આયોજન કરાયું છે.

તા. ૧૪-૮-રર ને રવિવારના રોજ સવારના ૯ કલાકે ૧૦૮ રાંદલ માતાજીના લોટાનું સ્‍થાપન પુજન રાખેલ છે. તેમજ ૧૦ કલાકે સોલાર પાવર પ્‍લાન્‍ટ તેમજ આધુનિક રસોડાના દાતાશ્રીઓનો સન્‍માન કાર્યક્રમ ‘બાજી નારણજી ભવન',  ‘હરિકિતી હોલ' માં રાખવામાં આવેલ છે.

જ્ઞાતિજનોને ઉપસ્‍થિતી રહેવા સ્‍વ. દિનકરરાય મયારામ જોષી સ્‍મૃતિ ટ્રસ્‍ટ (મેડીકલ) રાજકોટનાં પ્રમુખ જનકભાઇ એમ. મહેતા, માનદ મંત્રી વિપુલભાઇ એચ. દવે, કન્‍વીનર હિરેનભાઇ જે. ખંભોળીયા, સહ કન્‍વીનર હસુભાઇ એન. દવે, ખજાનચી, પરેશભાઇ પી. જોષી, ભોજનખંડ કો. ઓર્ડીનેટર હસમુખભાઇ એમ. મહેતા સહિતના દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(4:52 pm IST)