Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વન મહોત્સવ સમારોહ અંતર્ગત બજરંગવાડી પોલીસ ચોકી પાસે વૃક્ષારોપણ કરાયુ

રાજકોટ : વન મહોત્સવ સમારોહ ૨૦૨૦ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળની જામનગર રોડ પર આવેલી બજરંગવાડી પોલીસ ચોકી પાસે પશ્ચિમ વિભાગ એસીપી પી.કેે.દીયોરાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, બજરંગવાડી ચોકીના પીએસઆઇ એમ.બી.ગઢવી, એએસઆઇ રાજુભાઇ કોડીયાતર, મહેશભાઇ લુવા, ભરતભાઇ, સંજયભાઇ કુમારખાણીયા, ડીસ્ટાફના હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ, શૈલેષભાઇ, ભુપેન્દ્રસિંહ તથા બજરંગવાડી વિસ્તારના આગેવાનોમાં હિતેન્દ્રસિંહ ચુડાસમા, રજાકભાઇ જામનગરી, બસીરભાઇ જુણેજા, પ્રકાશભાઇ, મનહરપરના સરપંચ પ્રભાતભાઇ હુંબલ અને અશ્વિનભાઇ વીરડાએ વૃક્ષો વાવ્યા હતા.

(2:41 pm IST)