Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

'દાદા' માહુકરજીની અવિસ્મરણીય સેવાઓ હંમેશા યાદ રહેશેઃ કાલે રાજકોટમાં શોકસભા

રાજકોટઃ રેલવે કર્મચારીઓ માટે ટ્રેડ યુનિયનમાં  છેલ્લા ૫૫ વર્ષથી અવિરત સેવા આપી કર્મચારીઓના હિતેશ્રી એવા ટ્રેડ યુનિયન મુમેન્ટને જીવંત રાખનાર કર્મચારીઓના મસીહા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના મહામંત્રી તથા એન એસ આઈ આર ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ   દાદા જે જી માહુરકરજી સક્ષમ અને પરિપક નેતૃત્વ ના અવસાનથી સમગ્ર વેસ્ટર્ન રેલ્વે તથા રેલવે કર્મચારીઓમાં ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ રાજકોટ અને રેલ કર્મચારીઓ દાદાની આ અવિસ્મરણીય સેવાને હંમેશા યાદ રાખશે. સ્વર્ગીય દાદા માહુરકરજી ની શોક સભા આવતીકાલે તા. ૯ ના રોજ બપોરે ૧૨ વાગ્યે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ ઓફિસ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. સમગ્ર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. તેમ ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ જણાવ્યુ હતુ.

(2:44 pm IST)