Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વોર્ડ નં. ૯ માં ફર્યો ધનવન્તરી રથ : ઘરે ઘરે લોકોનું સ્ક્રીનીંગ

રાજકોટ : કોરોના મહામારી સામે સુરક્ષાના પગલાના ભાગરૂપે મહાનગરપાલીકા દ્વારા ઘરે ઘરે લોકોનો સંપર્ક કરી કોરોનાના લક્ષણો બાબતે જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે વોર્ડ નં. ૯ ના મીરાનગર સહીતના વિસ્તારોમાં ધન્વન્તરી રથ ફર્યો હતો. ઘરે ઘરે લોકોનું સ્ક્રીનીંગ કરી જરૂર જણાયે એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. આ સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, વિજય આહીર, રાજેન્દ્રસિંહ હુડા, દીનેશભાઇ જાવીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન તરફથી નીરજભાઇ વ્યાસ અને મનોજભાઇ વાઘેલા સહીતનાની ટીમ ઉપસ્થિત રહી હતી.

(2:44 pm IST)