Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વિંછીયા પંથકની પરિણિતા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૮ :  પરણીતા પર દુષ્કર્મ કરનારની જામીન અરજી  અદાલત રદ કરી હતી.

વિંછીયા તાલુકાના એક ગામની પરણીતા પોતાના ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન બાજુના ખેતરમાં કામ કરતા વિપુલગીરી રમેશગીરી ગોસ્વામી પરણીતાને જારનો મારો ચડાવવા લઇ જઇ તેની એકલતાનો લાભ લઇ તેના ઉપર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયેલ તે અંગેની પરીણતાએ જસદણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડેલ અને જેલ હવાલે કરતા આરોપી વિપુલગીરી રમેશગીરી ગોસ્વામીએ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરેલ હતો.

સરકાર પક્ષની દલીલ માન્ય રાખી સેશન્સ જજશ્રી પ્રશાંત જૈને આરોપીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:34 pm IST)