Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બટેટા પ૦ના કિલોઃ ગૃહિણીઓમાં દેકારો

રાજકોટ : કોરોના મહામારી તેમજ ભારે વરસાદના કારણે શાકભાજીનો પાક ધોવાઇ જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ હવે બટેટાના ભાવ એક ધારા વધીને પ૦ સુધી પહોંચી જતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. દસ કે વીસના કિલો મળતા  હવે પ૦ના ભાવે મળતા અનેક લોકોએ દરેક શાકમાં બટેકા ભેળવવાનું બંધ કરી દેતા હોટલ અને રેસ્ટોરન્ટવાળા કરકસર પુર્વક બટેટાનો ઉપયોગ કરી રહયા છે. ડુંગળી અને બટેકાનું રાજકારણ શું છે તે લોકોને સમજાતુ નથી.

(3:45 pm IST)