Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વોર્ડ નં. ૨ માં 'આપ' કાર્યાલયનો પ્રારંભ

આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ વાઇઝ જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી લોકોની સમસ્યાઓના નિવારણનું અભિયાન શરૂ કરાયુ છે. જે અંતર્ગત વોર્ડ નં. ૨ માં જનસંપર્ક કાર્યાલય પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયાના હસ્તે પ્રદેશ પ્રમુખ કિશોરભાઇ દેસાઇની ઉપસ્થિતીમાં ખુલ્લુ મુકાયુ હતુ.  આ તકે વોર્ડ નં. ર ના પાર્ટીના ઇન્ચાર્જ મુકેશભાઇ રાજયગુરૂના ધર્મપત્નિના અવસાન બદલ શોકાંજલી અર્પવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેર પ્રભારી અજીતભાઇ લોખીલ, શહેર ઉપાધ્યક્ષ શીવલાલભાઇ પટેલ, અહેમદ સાંઘ, હર્ષવર્ધન કહોર, કશ્યપ દવે, જયદીપસિંહ જાડેજા, આયુવાન ચુડાસમા, ભરતસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, મહેન્દ્રભાઇ રાઠોડ, હિતેશભાઇ ટાંક, નિલકંઠ મંદિરના પુજારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)