Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતાલ ગ્રુપ ઓફ મ્યુઝીક દ્વારા રવિવારે કરાઓકે સંગીત સંધ્યા

રાજકોટઃ તા.૮, રંગીલા રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે સુરતાલ ગ્રુપ ઓફ મ્યુઝીક લઇને આવી રહયા છે. એક સંગીતમય સુરીલી સંધ્યા આ ગ્રુપના સંચાલક શ્રી કૌશિક ગોસ્વામીએ યાદીમાં જણાવ્યુ છે કે આ ગ્રુપમાં નવા ઉભરતા ગાયકોને ગાયન ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસાવવા માટે તાલીમ અને માર્ગદર્ર્શન આપવામાં આવે છે. સુરતાલ ગ્રુપ ઓફ મ્યુઝીક દ્વારા તા.૧૦ના રવિવારે રાત્રે ૮ કલાકે અરવિંદભાઇ મણિયાર હોલ, ખાતે કરાઓકે સંગીત સંધ્યાનું  આયોજન કરેલ છે. જેમાં બકુલભાઇ પંડયા, મનસુખભાઇ રાણપરીયા, મંદાબેન પીરાણી અને હિરલ પંડયા પોતાની ગાયન કલા રજુ કરશે. આ કાર્યક્રમના સુત્રધાર જયેન્દ્રભાઇ પંડયા રહેશે.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર પ્રદીપભાઇ ડવ, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શીતાબેન શાહ, સ્ટે. કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઇ કોઠારી, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઇ પંડિત ઉપરાંત ઔદિચ્ય ઝાલાવડ બ્રહ્મસમાજના પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ, મહામંત્રી વિપુલભાઇ શુકલ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનેે સફળ બનાવવા માટે ફલોટેક ગ્રુપના કિશોરભાઇ રાદડીયા, વિનોદભાઇ આસોદરીયા, કશ્યપભાઇ સુવાગીયા, ડો. જાગૃતિબેન શિંગાળા, ડો. અશ્વિનભાઇ શિંગાળા, ડો. રાજીવ અનંત, પ્રસન્નભાઇ પાલા, વિરલભાઇ પાલા, લલીતભાઇ ચંદે, કાર્તિકભાઇ પટેલ અને જયદીપભાઇ કાચા જહેમત ઉઠાવી રહયા છે.

(3:04 pm IST)